નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ક્યારે ખતમ થશે? આ એક એવો સવાલ છે જે દરેકના મનમાં ઘૂમ્યા કરે છે. હવે લાગે છે કે આ સવાલનો જવાબ આવી ગયો છે. કોવિડ 19 મહામારી સપ્ટેમ્બર મધ્યની આસપાસ ભારતમાં ખતમ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના બે જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે. જેમણે આ તારણ પર પહોંચવા માટે Mathematical form પર આધારિત વિશ્લેષણનો સહારો લીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

COVID-19: કૂદકે ને ભૂસકે વધતા કેસોએ ભારતને બનાવ્યો દુનિયાનો પાંચમો સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ


આ રીતે કરાયું આકલન
વિશ્લેષણથી એ ફલિત થાય છે કે જ્યારે ગુણાંક 100 ટકા પર પહોંચી જશે તો આ મહામારી ખતમ થઈ જશે. આ વિશ્લેષણ ઓનલાઈન જર્નલ એપીડેમીયોલોજી ઈન્ટરનેશનલમાં પ્રકાશિત થયું છે. આ અભ્યાસ સ્વાસ્થ્ય મંત્રાલયમાં Directorate general of health services (DGHS)માં ડેપ્યુટી ડિરેક્ટર (જન સ્વાસ્થ્ય) ડો. અનિલકુમાર અને DGHSમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ ડિરેક્ટર (leprosy) રૂપાલી રોયે કર્યો છે. 


કોરોના સામે ઝઝૂમી રહેલા મુંબઈમાં મોડી રાતે ગેસ લીકેજની ફરિયાદો, જાણો ફાયર વિભાગે શું કહ્યું?


તેમણે આ તારણ પર પહોંચવા માટે બેલીના Mathematical formનો ઉપયોગ કર્યો. આ ગણિતિય સ્વરૂપ કોઈ મહામારીના પૂર્ણ આકારના વિતરણ પર વિચાર કરે છે જેમાં સંક્રમણ અને તેનાથી બહાર આવવાનું... બંને સામેલ છે. 


આ મેથમેટિકલ ફોર્મ સતત સંક્રમણ પ્રકારના રૂપમાં ઉપયોગમાં લેવાયું, જે નવા સંક્રમિત વ્યક્તિ સંક્રમણના સ્ત્રોત ત્યાં સુધી બની રહેશે જ્યાં સુધી તેના ચક્રથી તેઓ સંક્રમણ મુક્ત ન થઈ જાય કે પછી તેમનું મૃત્યુ ન થાય. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube